મોરબીમાં જલારામ મંદિર ખાતે ઓક્સિજન બોટલ વિતરણ શરૂ : ટુંક સમયમાં ઓક્સિમીટરનું પણ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ કરાશે
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કાનજીભાઈ પરસોતમભાઈ હોથી પરિવારના સહયોગથી તથા નરેન્દ્રભાઈ ચિમનલાલ પુજારા પરિવારના સૌજન્યથી સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ સેવા શરૂ કરવામા આવેલ છે.
પ્રવર્તમાન સમયે કોરોના વાઈરસે કાળો કહેર વર્તાવ્યો છે. પ્રાણવાયુ (ઓક્સિજન)ની અછતના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિ માટે ઓક્સિજન બોટલ વિતરણની વિશેષ સેવા શરૂ કરવામા આવી છે. ઓક્સિજન બોટલ મેળવવા માટે દર્દીનો RTPCR રિપોર્ટ, સી.ટી. સ્કેન રીપોર્ટ તથા આધાર કાર્ડની ઝેરોક્ષ અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે જમા કરાવવાની રહેશે. તેમજ ટુંક સમયમા ઓક્સિમીટરનુ વિતરણ પણ શરૂ કરવામા આવશે, તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ તથા પ્રતાપભાઈ ચગે યાદીમા જણાવ્યુ છે.