સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો :વધુ એક દર્દીનું મોત : નવા 188 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 175 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 93 કેસ ,જૂનાગઢ તાલુકામાં 19 કેસ,કેશોદમાં 26 કેસ, માળીયામાં 13 કેસ, વિસાવદરમાં 9 કેસ,માણાવદરમાં 8 કેસ,માંગરોળ અને ભેસાણમાં 6-6 કેસ, વંથલીમાં 5 કેસ, અને મેંદરડામાં 3 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 188 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 175 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 188 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 93 કેસ ,જૂનાગઢ તાલુકામાં 19 કેસ,કેશોદમાં 26 કેસ, માળીયામાં 13 કેસ, વિસાવદરમાં 9 કેસ, માણાવદરમાં 8 કેસ,માંગરોળ અને ભેસાણમાં 6-6 કેસ, વંથલીમાં 5 કેસ, અને મેંદરડામાં 3 કેસ નોંધાયા  છે 

(8:47 pm IST)