સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

સતત વાદળછાયા ખરાબ હવામાનના કારણે બે દિ'થી કંડલા એરપોર્ટ ઉપર વિમાનની અવરજવર બંધ

દિલ્હી, અમદાવાદ, મુંબઇની ફલાઇટ ન ઉડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કચ્છમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે હવામાન વાદળછાયું રહ્યું હોઈ કંડલાના વિમાની વ્યવહાર ઉપર તેની અસર પડી છે.

છેલ્લા બે દિવસથી કંડલામાં ફલાઈટના ઉત્તરાણ અને ઉડ્ડયન માટે હવામાન પ્રતિકૂળ હોઈ મંજૂરી અપાઈ નથી. જેના પરિણામે બે દિવસથી કંડલા એરપોર્ટ ઉપર દિલ્હી, અમદાવાદ અને મુંબઈ સાથેનો વિમાની વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હજીયે હવામાનખાતાએ કરેલી આગાહી અનુસાર વાતાવરણ આવું જ રહેવાની શકયતા હોઈ ફલાઈટ ઓપરેશન મોડું વહેલું થઈ શકે છે.

(11:50 am IST)