સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

જસદણ જામજોધપુર લોકલ એસટી બસ બંધ કરી દેતા મુસાફરોમાં રોષ

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા. ૨૧: જસદણ એસટી ડેપોની વરસોથી ચાલતી જસદણ થી સવારે સાત ત્રીસે ઉપડતી જસદણ જામજોધપુર લોકલ એસટી બસ બંધ કરી દેવામાં આવતા મુસાફરોમા રોષની લાગણી ફેલાઈ ગઈ હતી કયાં કારણ આ બસ બંધ કરવામાં આવી ગોંડલ જેતપુર ઉપલેટા જામજોધપુર જવા માટે આ લોકલ બસ મળતી હતી સવારે આ ગોંડલ તરફ જવા માટે મળતી બસ બંધ થતાં મુસાફરો ને વધુ એક સુવિધા છીનવી લીધી સવારે જવા માટે મળી રહી હોય પણ આ સુવિધા મળતી બંધ થઇ જસદણ ડેપો મેનેજરને ફોન કરી ને પુછવા કોશિશ કરી પણ ડેપો મેનેજર ફોન રીસીવ કરયો નહિ વહેલી તકે આ એસ ટી બસ ચાલું કરવામાં આવે તેવી માગણી ઉઠી છે. 

(11:53 am IST)