અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા પરિવાર-અમરેલી અને નગર પ્રાથમિક શિક્ષણ સંઘ-અમરેલી દ્વારા વિદાય તથા સત્કાર સમારંભ
અમરેલી : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા પરિવાર-અમરેલી અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ-અમરેલી દ્વારા બાલમુકુંદ હોલ, ગજેરાપરા, અમરેલી ખાતે નિવૃત થયેલ શિક્ષકોનો વિદાય સમારંભ તથા નવી નિમાયેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં નવા વરાયેલા ચેરમેન તુષાર જોષી અને વાઇસ ચેરમેનશ્રી ડી.સી.ગોલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં તમામ નવનિયુકત સભ્યશ્રીઓને આવકારી સન્માનિત કર્યા હતા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં પૂર્વ ચેરમેન અને પૂર્વ વાઇસ ચેરમેનને તેમજ નિવૃત શિક્ષકોને સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં તમામ સભ્યશ્રીઓ, શાળા પરિવારનાં તમામ શિક્ષકશ્રીઓ તથા શાસનાધિકારી કચેરીનો સ્ટાફ આ તકે હાજર રહેલ હતો. પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં નવા વરાયેલા ચેરમેનશ્રી તુષાર જોષીએ આગામી કાર્યો વિશે સૌને અવગત કર્યા હતા. તેમ અતુલપુરી ગોસાઇની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)