સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

વિસાવદરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનાં એક વર્ષના યશસ્વી કાર્યકાળની ખુશીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૧: વિસાવદર શહેર અને કિસાન મોરચા બક્ષીપંચ મોરચાના સંયુકત ઉપક્રમે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના સંગઠનના એક વર્ષ કાર્યકાળ પૂર્ણ થતા સેવા એજ સંગઠનના માર્ગે તેમનું એક વર્ષનો કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જુનાગઢ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રા,જિલ્લા સંગઠન મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા, જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા કુમારભાઇ, જીલ્લા કિશાન મોરચા ઉપ પ્રમુખ જયસુખભાઈ વદ્યાસીયા, શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ વાઘેલા,તાલુકા ભાજપના પ્રમુખ હરીભાઇ રીબડીયા,નગરપાલિકાના પ્રમુખશ્રી કૌશિકભાઇવાદ્યેલા,ઉપપ્રમુખ દ્યનશ્યામભાઈ ડોબરીયા,નગર પાલીકાના સદસ્યશ્રીઓ,શહેર ભાજપના હોદ્દેદારો તાલુકાની ટીમ,સંગઠનની ટીમ, વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષોનું વાવેતર કરી આર્ય સમાજ વિસાવદરના પટાંગણમાં વૃક્ષારોપણનો સફળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા શહેર પ્રમુખ કમલેશભાઈ વાદ્યેલા,શહેર કિશાન મોરચા ના પ્રમુખ કનુભાઈ પાઘડાળ તથા શહેર કિશાન મોરચા મહામંત્રી જયંતિભાઈ ભુવા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા,જિલ્લા ભાજપનાં પૂર્વ મંત્રી રમણીકભાઈ દુધાત્રા સહિત ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓ-આગેવાનો-કાર્યકર્તાઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:43 pm IST)