સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

વિસાવદર પંથકમાં ખેતરોમાં ઉભા પાકનો કચ્ચરઘાણ વાળતા જંગલી સુવરોઃ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોને રાત ઉજાગરા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૧, તા. ૮ :  વિસાવદર પંથકમાં ખેતરોમાં ઉભા પાકનો જંગલી સુવરો કચ્ચરઘાણ વાળી રહ્યા છે જેના પરિણામે વરસાદી માહોલમાં પણ ખેડૂતોને રાત ઉજાગરા થઈ રહ્યા હોવાનો આર્તનાદ જગતનો તાત વ્યકત કરી રહ્યો છે.તાજેતરમાં જ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે અને વધુમાં દાઝયા ઉપર ડામ જેવી જંગલી સુવરોના ત્રાસથી ખેડૂતો પારાવાર હાલાકીમાં મુકાયા છે.સરકારી તંત્ર અને વન વિભાગ જંગલી સુવરોના ત્રાસ સબંધે ખેડૂતોનાં વ્હારે આવે તેવી પ્રબળ માંગ પ્રવર્તે છે.

(1:11 pm IST)