સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

મોરબીના ચાચાપર ગામે વૃદ્ધનું કોઈ કારણોસર મોત: પોતાની દુકાને બેઠા હતા ત્યારે અચાનક બે ભાન થઇ ગયા

મોરબી તાલુકા ચાચાપર ગામમાં રહેતા વૃદ્ધ અચાનક બેભાન થઇ જતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા રમેશભાઈ રૂગનાથભાઈ ભાલોડીયા (ઉ.૬૫) પોતાના ઘરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે અચાનક બે ભાન થઇ જતા તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(1:01 am IST)