સાવરકુંડલા ધજડીનો રોડ અતિ બિસ્માર હાલતમાં તંત્રનું મૌનઃ વાહન ચાલકોમાં નારાજગી
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૧ : સાવરકુંડલાથી આઠ કિલો મીટર દૂર આવેલ ધજડી ગામ જવા નો રસ્તા ઉપર ફૂટે ફૂટે બબે ફૂટ ના ખાડા ઓ પડી ગયા છે તેથી ટુ વહીલથી માડી ભારે વાહન ચાલકો તોબા પુકારી ગયા છે આ રોડ ઉપરથી વાહન લઇ વાહન ચાલકો નીકળ વાનું ટાળે છે એટલી હદે વાહન ચાલકો આ બીમાર રસ્તાઓથી કંટાળી ગયા છે છતાં પણ લગતા વળગતા વાળા ઓ ના પેટનું પાણી પણ હલતું નથી.
અતિ ખરાબ હાલત માં પડેલો ધજડીનો રોડ બનાવવાનું કામ આજથી ચાર માસ પહેલા જ બનાવવામાં આવેલ છે છતાં પણ આવા ટૂંકા સમયમાં રોડ જર્જરિત થઈ જવા નું માત્ર એક જ કારણ કે તે રોડ માં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાંનું લોક મુખે ચર્ચાય રહ્યું છે પ્રગતિશીલ અને ગતિશીલ ગુજરાત માં આવવા રોડ રસ્તા હશે? કે પછી આને ખખડજધ ગુજરાત કહેવા માં આવે છે ? તંત્ર જનતાની સુખાકારી માટે આળસ ખંખેરીને જનતાની વેદનાને ધ્યાન લઇ ધજડી વાળો રસ્તો તાત્કાલિક યોગ્ય કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.