સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st September 2022

ધ્રોલના ખારવા નજીક સ્‍કૂલમાં ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીનો આપઘાત

ધ્રોલ તા. ૨૧ : ધ્રોલની નજીક આવેલી ખાનગી બોર્ડીંગસ્‍કુલમાં રહીને ભણતી લાલપુર તાલુકાના મેઘપર-પડાણાની વિદ્યાર્થીનીએ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પડાણા મેઘપર ગામની વિદ્યાર્થીની ધ્રોલના ખારવા રોડ પર આવેલી શ્રી ગણેશ સંકુલ વિદ્યાલયમાં ધો-૯માં અભ્‍યાસ કરતી અને ત્‍યાં જ હોસ્‍ટેલમાં રહે છે. બપોરના સમયે હોસ્‍ટેલમાં પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબ્‍જો સંભાળીને પીએમ માટે જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં લઈ ગયા હતાં. કોઈ અગમ્‍ય કારણોસર વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનું પોલીસે જાહેર કર્યુ છે.

(11:23 am IST)