વડાપ્રધાન નાં જન્મદિવસ નિમિત્તે કેશોદ પાલિકામાં સામાન્ય સભા બોલાવી ઉજવણી કરવામાં આવી
(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ નગરપાલિકા કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સામાન્ય સભા બોલાવી ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન પીપલીયા ની અધ્યક્ષતા માં મળેલી સામાન્ય સભામાં સતાધારી પક્ષ ભાજપના સત્તાવીસ સદસ્યો અને વિરોધ પક્ષ કોંગ્રેસના પાંચ સદસ્યો મળીને કુલ એકત્રીસ સદસ્યો હાજર રહ્યા હતાં. નગરપાલિકામાં નવાં વરાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ નાં છઠ્ઠા સામાન્ય સભામાં પાંચ મુદ્દાઓની સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. કોંગ્રેસના પ્રમુખ અને નગરપાલિકાનાં સદસ્ય શહેરનાં પ્રશ્નો સમસ્યાઓ અંગે રજુઆત કરવાને બદલે સામાન્ય સભા ની કાર્યવાહી શરૂ કરવામાં આવતાં જ સભાખંડ છોડીને નીકળી ગયાં હતાં. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રીસર્ફેસીગ કામ માટે આવેલ આર્થિક ભંડોળ ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.