News of Saturday, 21st November 2020
વડિયાના ચારણિયામાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ
વડિયા :ચારણિયા સેવા સહકારી મંડળીની ૬૬ મી વાર્ષિક સાધારણ સભામાં જયેશભાઇ રાદડિયા યુવા કેબિનેટ મંત્રીશ્રી અને ચેરમેન રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ બેન્ક લી તેમજ ગોરધનભાઇ ધામેલીયા નવનિયુકત ચેરમેન રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ લી,શ્રી મનસુખભાઇ ખાચરિયા પ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ,તેમજ અન્ય તાલુકા અને શહેર માંથી પધારેલ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા ચારણિયા ગામના વતની અને આલિધરા ગ્રુપ સુરતના ઉદ્યોગપતિ વલ્લભભાઈ ઠુમરે એમ્બ્યુલન્સ નું દાન આપી જયેશભાઇ રાદડિયાના હસ્તે લોકાર્પણ કરાવી ગામલોકોની સેવા માટે વતનનું ઋણ અદા કરેલ હતું...આ પ્રસંગમાં સમસ્ત ગામલોકો શોસ્યલ ડીસ્કન નું પાલન કરી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું તે તસ્વીર.
(11:45 am IST)