સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

ગીરગઢડા દલીત યુવા સંગઠન દ્વારા આવેદન

ઉના : ગીરગઢડા દલિત યુવા સંગઠનના આગેવાન હર્ષદભાઇ બાંભણીયા, રાજેશભાઇ પી.મકવાણા, યશભાઇ એન. વાજા, મુકેશભાઇ રાઠોડ સહિત આગેવાનોએ ગુજરાતના રાજયપાલને સંબોધી લખેલ આવેદન પત્ર ઉના પ્રાંત કચેરીએ જઇ અને આપેલ અને આવેદનમાં જણાવેલ કે, ભારત દેશ આઝાદ થયાને ૭૪ થી વધુ વર્ષ થઇ ગયા હોવા છતા ભારતમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના કચડાયેલા દબાયેલા લોકો ઉપર અત્યાચાર વધ્યા છે. ગીરગઢડા મુકામે ગણેશ મંદિરમાં એક મિટીંગ મળી હતી જેમાં આગેવાન હરિભાઇ દુધાતા પટેલએ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આવેદન આપ્યું તે તસ્વીર.

(11:29 am IST)