સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

જુનાગઢ ગીરનાર અંબાજી મંદિરે સાધુ સંતો સાથે દર્શનનો લાભ લેતા ડી.જી.વણજારા

ગઇકાલે જુનાગઢના પુર્વ એસપી અને નિવૃત ડીઆઇજી  ડી.જી.વણજારા ગીરનાર મંડળના અધ્યક્ષ પુ.ેઇન્દ્રભારતી બાપુ મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ સહકારી આગેવાન જેઠાભાઇ પાનેરા લખન ઓડેદરા સહીતના સાથે ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિરે દર્શનનો લાભ લીધો હતો. બાદમાં જુનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આવી પુ. તનસુખગીરી બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારે પુ.ઇન્દ્રભારતી બાપુ ઉપસ્થિત રહયા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:55 pm IST)