મોતનો મલાયજો પણ ન જાળવ્યો !!
મોરબી જીલ્લામાં પ હજારના મૃત્યુઆંક સામેતંત્રએ ચોપડે માત્ર ૮૭ મોત દર્શાવ્યા ?
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે સરકારને આડેહાથ લીધી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૨૨: મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપવા પત્રકાર પરિષદ સંબોધી ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને મોરબી જીલ્લામાં ૫ હજાર મળત્યુ આંક હોવા છતાં સરકારી ચોપડે માત્ર ૮૭ મળત્યુઆંક દર્શાવી સરકાર મેલી રમત રમતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં કોરોના મળત્યુ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં સાચી હકીકતો બહાર આવી છે જે મીડિયાના માધ્યમથી પ્રજા સમક્ષ મુકવા જરૂરી છે જેમાં ગુજરાત સરકારે ૧૦ હજારનો મળત્યુ આંક જાહેર કર્યો છે જયારે ગુજરાતમાંથી ૯૧ હજાર કોરોના મળત્યુ સહાય માટે અરજી થઇ છે અને ૮૦ હજારથી વધુને સહાય ચૂકવાઈ હોવાનું જાહેર થયું છે ત્યારે સરકારે મળત્યુ આંક છુપાવી મેલી રમત રમી હોવાના આક્ષેપ કર્યા છે
મોરબી જીલ્લામાં મળત્યુ આંક ૫ હજાર અને પરંતુ સરકારી ચોપડે તંત્રએ માત્ર ૮૭ નાગરિકોના મળત્યુ દર્શાવ્યા છે તેમજ સરકારે ૪ લાખને બદલે ૫૦ હજારની સહાય ચૂકવી છે જેથી કોંગ્રેસ આગામી વિધાનસભામાં કોંગ્રેસ સરકાર બનશે તો ૪ લાખની સહાય આપવાનું પણ જણાવ્યું હતું.