ઉનામાં ર વર્ષ પહેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટના ર આરોપીઓ ઝડપાયા
ઉના, તા,. રરઃ પોલીસે બે વરસ પહેલા થયેલી સોના-ચાંદીના દાગીનાની લુંટના ગુનાના બે આરોપી મોરાર ઉર્ફે હરીશ તથા અઝીઝ મન્સુરી રે.રાજુલાવાળાને પકડી પાડેલ છે. ઉના તાલુકાનાં મધરડી ગામ પાસે ૨૦૧૯માં લુંટનો બનાવ બનેલ હતો. સોના-ચાંદીના દાગીનાની લુંટ થઇ હતી. તેના ગુનાનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસવડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી તથા પીએસઆઇ રમેશભાઇ એન.રાજયગુરૂના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડનાં હેડ કોન્સ્ટેબલ પી.પી.બાંભણીયા, અરવિંદભાઇ પી.જાની, સંદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ ગોહીલને બાતમી મળતા ઉનાના ટાવર ચોક પાસે ચોરી લુંટનાં ગુનામાં સંડોવાયેલ (૧) મોરાજભાઇ ઉર્ફે રહીશ ઉર્ફે રીયાઝ ઉર્ફે મામુ ઉર્ફે ખુંખાર સલીમ સુમરા રે. બી.ડી.કામદાર કુંડલા રોડ, રે.રાજુલા હાલ રેવદ તા.ઉના (ર) અજીમ ઉર્ફે નાજાભાઇ સફીભાઇ સરવૈયા મન્સુરી રે.રાજુલાવાળાને પકડી પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતા ૨૦૧૯માં કરેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી તપાસ શરૂ કરી છે.