સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 4 દર્દીઓના મોત : નવા 202 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 120 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 102 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ,કેશોદમાં 69 કેસ,વંથલીમાં 17 કેસ, માણાવદરમાં 5 કેસ, મેંદરડામાં 4 કેસ, ભેસાણ અને માળીયામાં 2-2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાથી વધુ ચાર દર્દીઓના મોત થયા છે જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 202 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 120 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 202 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 102 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ,કેશોદમાં 69 કેસ,વંથલીમાં 17 કેસ, માણાવદરમાં 5 કેસ, મેંદરડામાં 4 કેસ, ભેસાણ અને માળીયામાં 2-2 કેસ નોંધાયા  છે

 

(9:19 pm IST)