સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

મોરબી ઓર પેટ ગ્રુપ દ્વારા સદભાવના હોસ્પિટલમાં રૂ નવ લાખનું વેન્ટિલેટર અર્પણ

મોરબી અજંતા ના સ્થાપક સ્વ. ઓ. આર. પટેલ મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ માં ટ્રસ્ટી હતા અને વરસો સુધી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવા સાથે તેમને હંમેશા સદભાવના હોસ્પિટલ મા પણ તન મન ધનથી સેવાઓ આપી હતી. તેની સેવાનો વારસો સંભાળતા  ઓ. આર. પટેલ સાહેબના પુત્ર પ્રવીણભાઈ ના orpet ગ્રુપ દ્વારા સદભાવના હોસ્પિટલ ના ડૉ. એ એક વેન્ટિલેટર ની જરૂરત હોવાનુ જણાવતાં ની સાથેજ orpet ગ્રુપ દ્વારા તાત્કાલિક રૂ નવ લાખની કિંમતનું વેન્ટિલેટર હોસ્પિટલ પહોંચાડી આપ્યાનું અને તે વેન્ટિલેટર હાલમાં કાર્યરત થય ગયાનું પ્રવીણભાઈ ના સુપુત્ર નેવીલ ભાઈ એ જણાવ્યું હતું.

(11:21 pm IST)