News of Tuesday, 22nd June 2021
જામજોધપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે વરણી
જામજોધપુર : તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પદે બહુજન પાર્ટી (બ.સ.પા.)માંથી ચૂંટાયેલ તાલુકા પંચાયતના સભ્ય ગોવિંદભાઇ દેવશીભાઇ બડીયાવદરાની વરણી કરવામાં આવેલ હતી. આ તકે ગોવિંદભાઇ બડીયાવદરાના જણાવ્યા અનુસાર તાલુકાના વિકાસના કામોને અગ્રતા આપી વિકાસના કામોમાં સૌને સાથે લઇ ચાલશું આ વરણીને અગ્રણીઓએ આવકારી હતી.
(12:10 pm IST)