સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

જામજોધપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે વરણી

જામજોધપુર : તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પદે બહુજન પાર્ટી (બ.સ.પા.)માંથી ચૂંટાયેલ તાલુકા પંચાયતના સભ્ય ગોવિંદભાઇ દેવશીભાઇ બડીયાવદરાની વરણી કરવામાં આવેલ હતી. આ તકે ગોવિંદભાઇ બડીયાવદરાના જણાવ્યા અનુસાર તાલુકાના વિકાસના કામોને અગ્રતા આપી વિકાસના કામોમાં સૌને સાથે લઇ ચાલશું આ વરણીને અગ્રણીઓએ આવકારી હતી.

(12:10 pm IST)