News of Tuesday, 22nd June 2021
સૌરાષ્ટ્રનાં ૪ જળાશયોમાં નવા પાણીની નજીવી આવક : લીંબડી ભોગાવોમાં ૧.૩૧ ફૂટનો વધારો
રાજકોટ, તા. રર : સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી મેઘ વિરામ થયો છે. આથી રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના ૪ જળાશયોમાં પાણીની નજીવી આવક નોંધાઇ છે.
સિંચાઇ વિભાગમાં નોધાયેલ વિગતો મુજબ આજે તા. રર નાં સવારે એક માત્ર સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી ભોગાવો ડેમ-૧ માં ૧.૩૧ ફુટ નવા પાણીની નોંધ પાત્ર આવક થઇ હતી.
જયારે મોરબીનાં મચ્છુ-ર માં ૦.૧૦ ફુટ, અને બ્રહ્માણી-૧ ડેમમાં ૦.ર૬ ફુટ ત્થા બ્રાહ્માણી-ર ડેમમાં ૦.૧૬ ફુટ નવા પાણીની આવક નોંધાઇ હતી.
(4:11 pm IST)