મહુવાના કરમદીયા ગામે ત્રણ સિંહો ત્રાટકયા એક ખુંટીયાનું મારણઃ અન્ય ખુંટીયા-ગાયને ઇજા
ભાવનગર તા. રર : જીલ્લાના કરમદીયા ગામે ત્રણ સિંહ પશુઓ પર ત્રાટકયા હતા જેમાં એક ખુંટીયાનું મોત નિપજયું હતું જયારે ગાય અને અન્ય પશુઓને ગંભીર ઇજા પહોંચી હતી.
ગોહિલવાડ પંથકમાં અવારનવાર સિંહ-દિપડો, વાઘ વિગેરે હિંસક પ્રક્ષીઓ ગામની સીમમાં આવી પડેછે અને મારણ કરતા હોય છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કરમદીયા ગામે પણ રાત્રે ત્રણ સિંહ આવી ચડયા હતા અને ગાય અને ખુંટીયા ઉપર મારણ કરવાના ઇરાદે હુમલો કર્યો હતો. હુમલાના સમયે સિંહો પશુઓના અવાજથી લોકો દોડી આવ્યા હતા અને હાકલા પડકારા કરતા સિંહો ભાગી ગયા હતા સિંહએ એક ખુંટીયાનું મારણ કરેલ છે જયારે ગાય અને અન્ય ખુંટીયાને ગંભીર ઇજા પહોંચાડી હતી. કરમદીયા ગામના આગેવાન કોળી ઘનશ્યામભાઇ ભાલીયાએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી છે.