સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

તલગાજરડામાં પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં કાલે ગુરૂપૂર્ણિમા નહી ઉજવાય

ભાવનગર - કુંઢેલી તા. ૨૨ : મોરારીબાપુએ નાથદ્વારમાં ગવાયેલી રામકથા 'માનસ તતઃ કીમ'ના છેલ્લા દિવસે જાહેર કર્યું કે તલગાજરડામાં છેલ્લા ઘણા વર્ષોથી ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી બંધ કરેલ છે. હું ફકત ગુરૂ ભગવાનની પાદુકાની પૂજન અર્ચન કરતો હોઉ છું. ત્યારબાદ રાબેતા મુજબ ચિત્રકુટધામ તલગારજડા ખાતે સામાન્ય રીતે ઉપસ્થિત રહેતો હોઉ છું. ચાલુ વર્ષે કોરોનાના કારણે તેનો સૌએ સખ્તાઇથી અમલ કરવો રહ્યો. સૌને વિનયથી જણાવવાનું કે, કોરોના નિયમોને જાળવી આપણે સ્વસ્થ રહીએ સૌને રાખીએ, હવે પછીની કથામાં પણ કડક કોરોના નિયમોનું ગંભીરતાપૂર્વક પાલન કરવાનું રહેશે તે રીતે સૌએ કથાનો ઓનલાઇન લાભ મેળવવો પડશે.

(11:49 am IST)