News of Thursday, 22nd July 2021
સતાધાર શ્રી આપાગીગાની જગ્યાએ શુક્રવારે ભજન સંતવાણી, શનિવારે ગુરૂપુજન
રાજકોટઃ ગુરૂને વંદના કરવાનો દિવસ આવી રહયો છે. ગુરૂપુર્ણિમાં મહોત્સવ નિમિતે જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના સતાધારમાં આવેલ જગપ્રસિધ્ધ એવાશ્રી શ્રીઆપાગીગાની જગ્યાએ બે દિવસીય કાર્યક્રમ યોજાયેલ છે. સરકારી ગાઇડ લાઇન અનુસાર માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાશે.
પૂ. વિજયબાપુ ગુરૂ મહંત શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના સાનિધ્યમાં તા.૨૩ના શુક્રવારના રોજ રાત્રીના ૯ કલાકે ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જયારે તા.૨૪ના શનિવારે ગુરૂપુજનનો કાર્યક્રમ રાખેલ હોવાનું જણાવ્યું છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
(11:54 am IST)