સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

પ્રભાસપાટણઃ ઘેડીયા કોળી સમાજના હોદેદારો

પ્રભાસપાટણઃ ઘેડીયા સમાજ મોટા કોળી સમાજના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે. જેમાં મે. ટ્રસ્ટી તરીકે કાનાભાઈ વાસાભાઈ ગઢીયા, લક્ષ્મીકાંતભાઈ ભગવાનભાઈ સોલંકી, માંડાભાઈ ડાયાભાઈ બામણીયા તેમજ ટ્રસ્ટી તરીકે હિરાભાઈ નારણભાઈ બામણીયા, પુંજાભાઈ કાળાભાઈ ગઢિયા, દિનેશભાઈ કરશનભાઈ વાજા અને કરશનભાઈ દેવાભાઈ વાયલુની નિમણૂક કરવામાં આવેલ છે. આ તમામ મે. ટ્રસ્ટી અને ટ્રસ્ટીઓ દ્વારા કોળી સમાજના પ્રમુખ પદે ઉકાભાઈ જીવાભાઈ ગઢિયા અને ઉપપ્રમુખ પદે રામભાઈ નારણભાઈ સોલંકીની વરણી કરવામાં આવેલ છે. કાનાભાઈ ગઢિયાએ ઘેડીયા કોળી સમાજના પ્રમુખપદે સાડા બાર વર્ષ સુધી રહેલ અને તેમના કાર્યકાળમાં સમાજમાં અનેક વિકાસ થયેલ. તેઓએ સમાજમાં શિક્ષણ વધે તે માટે ભાર મુકેલ. તેઓએ સાડા બાર વર્ષના સફળ શાસન બાદ સ્વૈચ્છાએ રાજીનામુ આપેલ છે. તેઓએ જણાવેલ કે મારે સમાજમા પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનું કારણ એ છે કે સમાજમાં યુવાનોને તક મળે અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ તેઓ સમાજના કામો કરી શકે. કાનાભાઈ ગઢીયા પ્રમુખ પદેથી અને ઉપપ્રમુખ પદેથી લક્ષ્મીકાંતભાઈ સોલંકીએ સ્વેચ્છાએ રાજીનામા આપીને નવા પ્રમુખ પદે ઉકાભાઈ ગઢીયા અને ઉપપ્રમુખ પદે રામભાઈ સોલંકીની વરણી કરવામાં આવેલ છે. કાનાભાઈ ગઢીયા અત્યારે સમાજમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપશે અને સમાજના નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોને માર્ગદર્શન આપશે અને તેઓ ગીર-સોમનાથ જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદે પણ સેવાઓ આપે છે. નવા હોદેદારોની તસ્વીર (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:58 am IST)