સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

પોરબંદર સાન્દીપનિ શ્રી હરિમંદિરે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા ઉજવાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રરઃ  પોરબંદર સાન્દીપનિ શ્રી હરિમંદિર ખાતે આવતીકાલે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ઉજવાશે.

જેમાં સવારે ૯.૩૦ કલાકે મંદિર ધ્વજારોહણ અને પાદુકાનું પૂજન પૂ. ભાઇશ્રી ના હસ્તે શાસ્ત્રોકત વિધી સાથે કરવામાં આવશે  પુ. ભાઇશ્રી આશિવર્ચન આપશે ે ઋષિકુમારો અને સેવક સમુદાય દ્વારા પુ. ભાઇશ્રીને ભાવવંદના કરાશે. આ અવસરે ધર્મપ્રેમી જનતાને કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી માસ્ક પહેરી સેનીટાઇઝ થઇ સોશ્યલ ડીસટન્સ જાળવી દર્શનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

(12:46 pm IST)