જુનાગઢ : સફાઇ કામદારોના પ્રશ્ને વિજયભાઇ અને નિતીનભાઇને રજૂઆત
જૂનાગઢ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રાજ્યની જુદીજુદી નગરપાલિકાઓમાં સફાઈ કામદારોની કાયમી જગ્યાઓમાં વાલ્મિકી સમાજ સિવાયના અન્ય સમાજનો ભરતીમાં સમાવેશ કરતા વાલ્મિકી સમાજના વર્ષો જુના વાલ્મિકી સમાજના રોજમદાર કર્મચારીઓને ભરતીમાં કાયમી થવામાં વાલ્મીકિ સમાજમાં અન્યાય થતો હોય, જેથી આવી સફાઈ કામદારની ભરતીમાં વાલ્મીકિ સમાજને પુરતો ન્યાય મળી રહે તે માટે સૌરાષ્ટ્ર વાલ્મીકિ સમાજના એક પ્રતિનીધી મંડળ દ્વારા જૂનાગઢના મોહનભાઈ પરમારના આગેવાનીમાં સૌરાષ્ટ્ર વાલ્મીકિ સમાજના આગેવાનો સાથે રહી રજુઆત કરેલ તે બાબતે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સફાઈ કર્મચારીઓની ભરતીમાં વાલ્મિકી સમાજના જ લોકોનો સમાવેશ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપેલ છે તેમજ જૂનાગઢ મહાનગરપાલિકામાં મેડિકલ અનફિટ સફાઈકર્મચારીના વારસદારોને નિમણૂક આપવા અંગેની કાર્યવાહી વહેલી તકે શરૂ થાય તે માટે પણ સૌરાષ્ટ્ર વાલ્મિકી સમાજ પ્રતિનિધિ મંડળે રજુઆત કરેલ છે. (અહેવાલ : વિનુજોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)