સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

જુનાગઢ ભવનાથ તળેટી ગોરક્ષનાથ આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રરઃ આગામી તા.૨૩.૭.૨૦૨૧ ને શુક્રવારના રોજ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તળેટી ખાતે સદગુરુ મહંત યોગી શ્રી શેરનાથજીબાપુની નિશ્રામાં કોવીડ ગાઈડ લાઈન અનુસાર ગુરૂ પુર્ણીમા મહોત્સવ ઉજવવામાં આવશે.

પુજ્ય મહંતશ્રી શેરનાથજીબાપુના જણાવ્યા અનુસાર ધાર્મિક વિધી સાથે સવારે   ૮ કલાકે બ્રહ્મલીન યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની સમાધી પૂજન બાદ  ગુરૂ પૂજન કરવામાં આવશે. આ ગુરૂ પૂજન તથા સંતવાણીના ધાર્મિક આયોજનમાં આશ્રમ ખાતે કોવીડ ગાઈડ લાઈન અનુસાર સેવકગણ પુરતુ  મર્યાદિત સંખ્યામાં રાખેલ છે. આશ્રમ ખાતે ચાલતુ સદાવ્રત પરંપરા મુજબ ચાલુ રહેશે. તેમ મહંતશ્રી યોગી શેરનાથજીબાપુ એ જણાવ્યું છે.

(12:53 pm IST)