ગણેશ વિસર્જન વખતે અબીલ ગુલાલથી બગડેલા કપડા બાબતે પત્નિએ ઝઘડો કરતાં સંદિપ સળગ્યો
કુવાડવાના ચાંચડીયા ગામનો બનાવઃ યુવાન રાજકોટ સારવારમાં
રાજકોટ તા. ૨૨રૂ કુવાડવાના ચાંચડીયા ગામે રહેતાં સંદિપ બાવકુભાઇ કુમારખાણીયા (ઉ.વ.૩૦) નામના કોળી યુવાને ૨૦મીએ અગ્નિસ્નાન કરી લેતાં કુવાડવા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
સંદિપ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો છે. તે ગામમાં પાનની દૂકાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે કહ્યું હતું કે પોતે ૨૦મીએ ગણેશ વિસર્જનમાં ગયો હોઇ તેમાં અબીલ ગુલાલ ઉડવાને કારણે કપડા રંગાઇને બગડી ગયા હતાં. ઘરે આવીને પત્નિ નીતા પાસે બીજા કપડા માંગતા તેણે બીજા કપડા આપવા બાબતે ચડભડ કરતાં પોતાને માઠુ લાગુ જતાં જાત જલાવી લીધી હતી. કુવાડવા પ્રાથમિક સારવાર લીધા બાદ રાજકોટ દાખલ થતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી.