News of Wednesday, 22nd September 2021
કચ્છના અંજારમાં ઠાકર પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
વ્યાસાસને રાણસીકીના કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ
રાજકોટ તા. રર :.. કચ્છના અંજારમાં રાણસીકીના કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટના વ્યાસાસને આજે તા. રર થી ર૮ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. જેમાં ગોસ્વામી સમાજની વાડી, જેશલ તોરલ રોડ, ખાતે દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.
અંજાર ચિત્રકુટ સોસાયટી-૧, પ્લોટ નં. ૯ માં રહેતા નરભેશંકર પ્રભાશંકર ઠાકર પરિવાર દ્વારા આયોજીત આ ભાગવત કથાનો ભાવિકોને લાભ લેવા આમંત્રણ પાઠવાયુ છે.
(4:52 pm IST)