સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ભાવનગરમાં ૩ દિવસ પહેલા ગુમ થયેલ માનસીક દિવ્યાંગનો મૃતદેહ મળ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૩ : ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ બોરતળાવ વિસ્તારમાં રહેતા અસ્થિર મગજના યુવકનો મૃતદેહ યુનિવર્સિટી પાસેના પેડક વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

ભાવનગરના બોરતળાવ, ધોબી સોસાયટીમાં રહેતો મુબારક અકબરભાઇ બેલીમ નામનો અસ્થિર મગજનો યુવાન ત્રણ દિવસ પહેલા ગુમ થઇ જતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે બપોરે મુબારકનો મૃતદેહ ભાવનગર યુનિવર્સિટી ખાતેના પેડક વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

(11:34 am IST)