News of Saturday, 23rd January 2021
ઉપલેટા : ઇસરા ગામની ગૌશાળામાં આગ : પ લાખનો ઘાસચારો ખાખ
શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યાનું તારણ : ગૌમાતા અને ગૌવંશ સલામત
(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા. ર૩ : રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ઇસરા ગામની ગૌશામાં આગ લાગતા પ લાખનો ઘાસચારો ભસ્મીભૂત થઇ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઇસમરા ગામની ગૌશાળમાં કાલે રાત્રીના શોર્ટ સર્કિટના કારણે ઘાસચારાના જથ્થા નજીક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. અને ગૌશાળમાં પડેલ ઘાસચારો ભસ્મીભૂત થઇ ગયો હતો.
આગને કાબુમાં લેવા માટે ઉપલેટા ફાયર બ્રિગેડની ટીમ અને ગામ લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી.
સદનસીબે ગૌશાળામાં રહેલ ગૌમાતા અને ગૌવંશનો બચાવ થયો હતો.
(11:47 am IST)