News of Saturday, 23rd January 2021
ચણા, ઘઉં, તુવેરની ખરીદીનું રજીસ્ટ્રેશન ગ્રામ્યકક્ષાએ વીસીઇ મારફત ચાલુ કરવા રાઘવજીભાઇ પટેલની રજૂઆત
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણા, ઘઉં અને તુવેરની ખરીદી કરવાનું નક્કી કરેલ છે અને જે અંગેની નોંધણી માર્કેટીંગ યાર્ડ કક્ષાએ તાલુકામાં એક જ સ્થળે કરવામાં આવે છે.
ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ચણા તથા ઘઉંનું ઉત્પાદન થયેલ છે, મોટી સંખ્યામાં દરેક ગામમાંથી ખેડૂતોને ટેકાના ભાવે ચણા, ઘઉં તથા તુવેરનું વેચાણ કરવાનું થશે, માટે ચણા અને ઘઉંની પૂરતા પ્રમાણમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની માંગણી કરેલ છે
તેમજ તાલુકા દિઠ એક જ જગ્યાએ નોંધણી કરવામાં આવે છે તેના બદલે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ. મારફત નોંધણી કરવામાં આવે તેવી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ રજૂઆત કરેલ છે.
(12:55 pm IST)