સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

જેતપુરના મેવાસામાં પરપ્રાંતીય પતિએ દારૂના નશામાં રહેલ પત્નિને લાકડાનો ઘા ફટકારીને પતાવી દીધી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૨૩ : જેતપુરના મેવાસાની સીમમાં મજૂરી કામ કરવા આવેલ પત્નિ અને પતિ વચ્ચે ઝઘડો થતાં દારૂના નશામાં રહેલ પત્નિને પતિએ લાકડાનો ઘા ફટકારીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગત અનુસાર તાલુકાના મેવાસા ગામે રહેતા ખેડૂત ભીખુભાઇ ત્રાપસીયા કે જેઓની વાડી ધોળીધાર રોડ પર કેનાલકાંઠે આવેલ છે ત્યાં મજુરી કામની જરૂર હોય પરપ્રાંતિય દંપતિને દસથી પંદર દિવસ પહેલા મજુરી કામે રાખેલ. જેઓ ત્યાં જ વાડીની ઓરડીમાં રહેતા ગઇકાલે ભીખુભાઇ તેમની વાડીએ ગયેલ ત્યારે વાડીમાં મજુરી રામસંગ મુલાસા માનઠાકુર (રહે. મુળ હોલગામ સીલાવાદ એમ.પી.) ઉભો હોય અને તેની પત્ની સુમારી નીચે પડેલ હોય તેના વિશે પૂછતા રામસીંગે કહેલ કે કાલ રાત્રે ધ્રોલ દારૂ પી ગયેલ હોય અને જેમ ફાવે તેમ બોલતી હોય રામસીંગે તેને કહ્યું કે મારે જમવું છે તેથી તેની ઘરવાળીએ કહ્યું કે તે જમવાનું બનાવ્યું નથી તારા હાથે બનાવી લે એમ કહેતા રામસીંગે ઉશ્કેરાઇ જઇ વાળ પકડી જાપટ મરેલા બંને વચ્ચે હાથાપાઇ થયેલ. દરમિયાન રામસીંગના હાથમાં લાકડુ આવી જતા તેની પત્ની સુમારીબેનને બેફામ મારેલ. ઓરડીમાં જઇ સુઇ ગયેલ અને સવારે જોતા તે ત્યાં જ પડેલ હોય અને મરી ગયેલ હોય તેની ઉપર સાલ ઓઢાળી દીધી.

આ વાત સાંભળી ભીખુભાઇએ વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડી રામસીંગ માનઠાકુર વિરૂધ્ધ આઇપીસી ૩૦૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:01 pm IST)