સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ : નવા રેકોર્ડબ્રેક 526 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 128 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે નવા 526 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 128 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.33.839 સેમ્પલ લેવાયા છે

(6:56 pm IST)