પોરબંદર : સગીરાના અપહરણ કેસમાં આરોપીના જામીન મંજુર
પોરબંદર, તા., ર૩ : કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દ્વારા પોતાની સગીર વયની દિકરી પોતાનો સગો ભાણેજ કિસ્મત ઉર્ફે ભીખુ પુંજા ઓડેદરા ભગાડી ગયેલ હોવાનું જણાવી ર૦ર૦માં ફરીયાદ કરેલી હતી અને ફરીયાદના આધારે પોલીસ દ્વારા કિસ્કત ઓડેદરાની ધરપકડ કરી જેલ હવાલે કરેલો હતો અને ત્યાર બાદ તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે તેમજ અમદાવાદના એડવોકેટ આશીષભાઇ ડગલી મારફતે જામીન અરજી કરતા અને તે અન્વયે દલીલમાં જણાવેલ કે ભોગ બનનારના નિવેદન મુજબ જ પ્રેમ પ્રકરણ હોય અને આરોપી પણ નાની ઉંમરનો હોય અને ભુતકાળમાં કોઇ ગુન્હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ન હોય અને તેને ઘણો લાંબો સમય જેલમાં રાખવામાં આવે તો તેને પ્રિપનીસમેન્ટ થાય તેમ હોય તેવી વિગતવાર દલીલ કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા કિસ્મત ઓડેદરાની શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપી વતી નામદાર હાઇકોર્ટમાં એડવોકેટ આશીષભાઇ ડગલી તથા પોરબંદરમાં એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા.