News of Tuesday, 23rd February 2021
ભાવનગરમાં સર ટી.હોસ્પિટલનાં ત્રીજા માળેથી ઝંપલાવીને સુનીલ ડાભીનો આપઘાત
ગંભીર બિમારીથી કંટાળીને જીવ દીધાનુ પ્રાથમિક તારણ
(મેઘના વિપુલ દ્વારા) ભાવનગર, તા.૨૩: ભાવનગરની સર ટી. હોસ્પિટલનાં બિલ્ડીંગનાં ત્રીજા માળેથી ઝંપલાવી યુવાને આપઘાત વધેરી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સર ટી-હોસ્પિટલનાં પરિસરની કેન્સર હોસ્પિટલનાં ત્રીજા માળેથી વલભીપુર તાલુકાનાં ભોજપરા ગામમાં યુવાન સુનીલભાઇ સવજીભાઇ ડાભી ઉ.વ.૩૭ એ ઝંપલાવતાં તેનું ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતાં સ્થળ પર જ મોત નિપજયયુ હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી ને તપાસ હાથ ધરી હતી. ગંભીર બીમારીથી કંટાળી યુવાને આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.
(10:09 am IST)