સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd May 2022

જામનગરના બે શખ્‍સો પાસા તળે જેલ હવાલે

જામનગર, ના., ર૩: અહીના ૧૨ ગુન્‍હામાં સામેલ મહાવીરસિંહ દેવાજીભાઇ જાડેજા (ઉ.૩ર) (રહે. રણજીત સાગર રોડ, કિર્તીયા નવાવી ગલીમાં, મંદિર પાસે, પ્રણામીનગર)ને વડોદરા તેમજ જયરાજસિંહ મહિપતસિંહ સોઢા (ઉ.વ.ર૬) (રે. મારૂ કંસારા હોલની સામે, ન્‍યુ જવાહર સોસાયટી-૩)ને ૪ ગુન્‍હામાં સામેલ હોઇ ‘પાસા' તળે સુરત લાજપોર જેલહવાલે કરેલ છે.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પાસા હેઠળ દરખાસ્‍ત તૈયાર કરાવી છેલ્લા ૧૦ દિવસમાં ૭ માથાભારે ઇસમો વિરૂધ્‍ધ પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ-અલગ જેલમાં મોકલી આપેલ છે.

આ કાર્યવાહી એલસીબી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહીલ તથા પો.સબ ઇન્‍સ. આર.બી.ગોજીયા નાઓ તથા એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા , હીરેનભાઇ વરણવા, હરદીપભાઇ ધાંધલ, ધાનાભાઇ મોરી, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્‍યામ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ જટુભા જાડેજા, સુરેશભાઇ માલકીયા, રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર, ભારતીબેન ડાંગર, લખમણભાઇ ભાટીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે. 

(1:11 pm IST)