સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd May 2022

આપણી પર આવેલી આફતમાં ક્યારેય આપધાતનુ પગલું ભરવું જોઈએ નહિ : ઈશુદાન ગઢવી

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે બે દિવસ પહેલા એક વૃધ્ધ ખેડૂતે આપધાત કરતા આપના નેતાએ પરીવાર ની મુલાકાત લીધી

ધ્રોલ:: તાલુકાના હજામચોરા ગામે બે દિવસ પહેલા એક વૃધ્ધ ખેડૂતે પોતાની વાડીએ ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો. જેને લઇને આપના નેતા ઈશુદાન ગઢવી ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂત પરિવારો સાથે મુલાકાત કરીને  પરિવારને કોઈ પણ મદદ ની જરૂર હોય તો અમે છીએ  તેવું આશ્વાસન આપ્યું હતુ. તેમજ મીડિયાના માધ્યમથી મૃત ખેડૂતના ફરાર દિકરાને ગામ પરત ફરવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે ખેડૂતોને ખાસ નમ્ર વિનંતી કરી ને કહ્યું હતું કે  આપણી પર આવેલી આફતમાં ક્યારે આવું પગલું ભરવું જોઈએ નહિ.

(સંજય ડાંગર - ધ્રોલ)

(4:24 pm IST)