ભાવનગરમાં મ્યુર માઇકોસીસના બે કેસ
ભાવનગર,તા.૨૩: જિલ્લામાં મ્યુકર માઇકોસીસનાં ૨ શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૪૬ દર્દીઓ આ રોગની સારવાર હેઠળ છે.
જિલ્લામાં કુલ ૪૬ કેસ નોંધાયેલા પૈકી ૪૨ કન્ફર્મ કેસ અને ૪ સસ્પેકટેડ કેસ નોંધાયાં છે. જયારે આજદિન સુધીમાં ૨૪ દર્દીઓનાં સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
૧ કોરોના કેસ નોંધાયો
જિલ્લામા ૧ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૯૨ થવા પામી છે. જેમા શહેરમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
મહાનગરપાલિકા વિસ્તારમા ૩ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૯૨ કેસ પૈકી હાલ ૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૫ દર્દીઓના અવસાન થયેલ છે.