માણાવદર રસાલા ડેમના દરવાજા તોડનારા સામે FIR દાખલ કરવા કોંગ્રેસ દ્વારા માંગ
(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ર૩ : તુલાકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ લાડાણી દ્વારા એક આવેદનપત્ર પાઠવી રસાલા ડેમના દરવાજા તોડનારા સામે એફઆઇઆર દાખલ કરવા માંગ કરતું આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું હતું જેમાં જણાવેલ છે કે તા.૧૭/૭/ર૧ ના રોજ શહેર ત્થા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઉપરવાસનું પાણી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં આવેલ પરંતુ ડેમના દરવાજા તોડી નાખેલ હોય લાખો ગેલન પાણી વહી ગયું તેમજ રૂ. ર૦ કરોડના અંદાજીત ખચેૃ રીવરફ્રન્ટ બનવા થઇ રહ્યો છે. હાલ સાફ-સફાઇ ચાલે છે પેશકદમી ઝૂપડપટ્ટી દુર કરેલ નથી ચોમાસુ આવીજતા હાલ કામગીરી બંધ છે. તો શા માટે રસાલા ડેમના દરવાજા તોડીનેપાણીને વહેવાડવા દેવામાં આવ્યું છે.
ડેમના દરવાજા તોડનાર સામે આફઆઇઆર નોંધી કાયદેસર કાર્યવાહી કરવી ત્થા તાત્કાલીક ડેમના દરવાજા ફીટ કરી ડેમમાં પાણી સંગ્રહિત થાય તેમ કરવા માંગ કરી છે આવેદનપત્રમાં ડેમના દરવાજા તોડવાનુ લખ્યુ ત્યારે આવુ કૃત્ય કયાં કારણે કરાયું જાહેર ઠેર ચર્ચા થઇ રહ્રી છે.