હળવદના શકિતનગરનુ બસસ્ટેન્ડ ભોગ લેવા માટે મોં ફાડીને ઉભુ છે!
(દિપક જાની દ્વારા) હળવદ તા.૨૩ : તાલુકાના શકિતનગર ગામના બસ સ્ટેન્ડમાં જો કોઈ મુસાફર ભૂલેચૂકે પણ વરસાદ કે તડકાથી બચવા ઉભા રહે તો બસ મળે કે ના મળે પણ યમરાજ જરૂરથી મળી જાય તેમ છે. લાંબા સમયથી સતના આધારે ટકીને ઉભેલ બસસ્ટેન્ડ કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા મરામત કરવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.
હળવદ તાલુકાના શકિતનગર ગામ પાસે આવેલ બસ સ્ટેન્ડ પાછલા દ્યણા સમયથી અતિ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ હજુ તેનું સમારકામ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આ બસ સ્ટેન્ડ ગમે ત્યારે પડી જાય તેમ છે જેથી લોકો કહી રહ્યા છે કે બસ સ્ટેન્ડ પડી જાય એમાં વાંધો નથી પરંતુ જો કોઈ મુસાફર અહીં હોય અને પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. આ અંગે શકિતનગર ગામના અશોકભાઈ અદ્યારાએ જણાવ્યું હતું કે દ્યણા સમયથી અતિ જર્જરિત હાલતમાં ઉભેલા આ બસ સ્ટેન્ડમાં હાલના ચોમાસાના સમયમાં મુસાફરો બસની રાહ જોઈ વરસાદ સમયે અથવા તો તડકા સમયે ઊભા હોય છે પરંતુ કયારેક આ બસ સ્ટેન્ડ મોટી દુર્દ્યટના સર્જે એવું લાગી રહ્યું છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા નિર્દોષ મુસાફરો અકસ્માતનો ભોગ ન બને તે પહેલા આ બસ સ્ટેન્ડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે.