જેતપુરમાં આયુર્વેદિક ડોકટર પતી સામે ફરીયાદ નોંધાવતી પત્ની
સાસુ કરીયાવર બાબતે મેણાટોણા તેમજ દોરા ધાગા કરવા દબાણ કરતાતા
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ : અત્રેના અમરધામ રૈયારાજ-૧ વિસ્તારમાં રહેતા ધીરજભાઇ ખુંટની દિકરી પ્રિયંકાબેનના લગ્ન પાંચ માસ પહેલા દેસાઇવાડી વિસ્તારમાં રહેતા પંકજ પરસોતમભાઇ વાડોદરીયા સાથે થયેલ લગ્નના બેમાસ બાદ પતિ પંકજ કે જે આયુર્વેદિક ડોકટર હોય તે મોબાઇલમાં બિભત્સ વિડીયો જોઇ તેની પત્નીને તેવુ વર્તવા દબાણ કરતો અને જો ન કરે તો ઝઘડો કરી માર મારેલ તેમજ તેના સાસુ હંસાબેન કરીયાવર બાબતે મેણાટોણા મારી કલીનીક બનાવ્યુ છે. રૂપિયા લેતી આવ તેમ કહેલ તેમજ તુ માનસીક રોગી છો ભુવા પાસે દોરાધાગા કરવા લઇ જવા કહેતાતેની ના પાડતા ઢીકાપાટુનો માર મારેલ તેમના પીયર જતા રહેવાનું કહેતા પ્રિયંકાબેન તેના પીયર જતી રહી પતી-સાસુ વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આઇ.પી.સી. (ક) ૩ર૩, ૧૧૪ દહેજ ધારા ૩, ૪ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરીેલ છે.