સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

વડિયાના ખજૂરી પીપળીયા ગામે સિંહના આંટાફેરા

ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ

 વડિયા,તા.૨૩ : જંગલ ના ઘટતા વિસ્તાર અને વૃક્ષછેદન ને કારણે આજે વન્ય -ાણીઓ જંગલ બહાર ખોરાક ની શોધ માં આટાફેરા વધતા હોય તેવા સમાચાર રોજ જોવા મળે છે. વડિયા જેવા આંતરિયાળ વિસ્તારમાં આવેલા ખજૂરી પીપળીયા ગામે ખારા વિસ્તાર માં જાળી માં સિંહ બેઠા હોય તેવો વિડિઓ વાયરલ થયો છે. આ પેહેલા પણ સિંહ ના આટાફેરા નો વિડિઓ વાયરલ થયો હતો. આ વિડિઓ વાઇરલ થતા સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો માં ભયનો માહોલ સર્જાયો છે.અને વન વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી વિડિઓ માં જોવા મળતા સિંહ આ વિસ્તારમાં હોય તો કોઈ માણસ કે પાલતુ પશુ એને નુકશાન કરે તે પહેલા તેની યોગ્ય કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. આ વિડિઓ ને કારણે ખેડૂતો એ રાત્રે પોતાની વાડીમાં કામ માટે પણ જતા પણ ડર અનુભવી રહ્યા છે અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો ને પણ પોતાના પશુઓ ની ચિંતા વધી છે.

(1:19 pm IST)