સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

ટંકારાના હડમતીયા નજીક પાલનપીરના મેલા પાસેના કુંડના પાણીમાં ન્હાવા પડેલા ૧૭ વર્ષના સગીરનું મોત

પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવ મામલે વધુ તપાસ ચલાવી

ટંકારાના હડમતીયા નજીક આવેલ પાલનપીરના મેલા પાસેના કુંડના પાણીમાં ન્હાવા પડેલા ૧૭ વર્ષના સગીરનું મોત થયું છે જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હડમતીયા ગામે આવેલ પાલનપીર મેલા પાસેના કુંડમાં એક સગીર ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી ગયો હતો જે બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ પહોંચી હતી અને રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું અને ડૂબેલા સગીરને બહાર કાઢવામાં આવ્યો હતો

જોકે ત્યાં સુધીમાં સગીરનું મોત થયું હતું મૃતક વિજય ભલાભાઈ ચાવડા (ઉ.વ.૧૭) હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી ગઈ છે અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

(12:39 am IST)