સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

૩૬ ઔષધ નિરીક્ષકોની બદલી

ભૂજના ટી.એમ.મહેતા અને સુરેન્‍દ્રનગરના વી.જી.કગથરા અને અમરેલીના બલ્લર રાજકોટમાં : જૂનાગઢના ભૂવા ભુજમાં

રાજકોટ તા. ૨૩ : રાજ્‍યના આરોગ્‍ય વિભાગ દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હસ્‍તકના વર્ગ-૨ના ૩૬ ઔષધ નિરીક્ષકોની બદલીના હુકમ કરવામાં આવ્‍યા છે.

ભૂજના મદદનિશ કમિશનર કુ.ટી.એમ. મહેતાને રાજકોટ, રાજકોટના કુ.બી.એચ. હડિયાને ગાંધીનગર અને કુ.જે.સી. મોદીને ગાંધીનગર મુજબ મથકમાં, સુરેન્‍દ્રનગરના વી.જી.કગથરાને રાજકોટ તથા આણંદના એસ.એચ.ગણસ્‍વાને ભાવનગર મુકવામાં આવ્‍યા છે. અમરેલીના પી.બી.બલ્લર રાજકોટ, જૂનાગઢના એસ.વી.ભુવા ભૂજ, ભાવનગરના જી.એન.ઠુંમર અમદાવાદ ગ્રામ્‍યમાં નિયુક્‍ત થયેલ છે.

(11:10 am IST)