સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

વાંકાનેરના સુનિલનું કોટડાનાયાણી ગામમાં મકાનનું કામ કરતી વખતે પડી જતાં મોત

૨૧ વર્ષના યુવાનનું રાજકોટમાં મોતઃ દેત્રોજા-કોળી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: વાંકાનેરના દિવાનપરામાં રહેતાં કોળી યુવાનનું કોટડા નાયાણી ગામે મકાનનું કડીયા કામ કરતી વખતે પહેલા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.
વાંકાનેર રેહતો સુનિલ મનુભાઇ દેત્રોજા (કોળી) (ઉ.૨૧) ગઇકાલે કોટડા નાયાણી ગામે અહેમદભાઇ કાતીયારના મકાનનું બાંધકામ ચાલુ હોઇ ત્‍યાં છત પર મથાળો બાંધતી વખતે અકસ્‍માતે પહેલા માળેથી પડી જતાં વાંકાનેર હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાંહોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
સુનિલ ત્રણ ભાઇમાં મોટો અને પરિવારનો આધારસ્‍તંભ હતો. જુવાનજોધ દિકરાના મોતથી સ્‍વજનો શકોમાં ગરક થઇ ગયા હતાં.

 

(11:30 am IST)