સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

થાનની બજારમાં પત્‍નિને ફોન નહીં કરવા કહેતા હૂમલો

  વઢવાણ,તા.૨૩ : થાનગઢ બજારની અંદર ચાર વ્‍યક્‍તિએ સંપ કરીને એક વ્‍યક્‍તિ ઉપર લોખંડના પાઇપ લાકડી અને છરી વડે હુમલો કરવામાં આવ્‍યો છે.

થાનગઢની અંદર દિવસેને દિવસે કાયદો વ્‍યવસ્‍થા પડકાર બની રહ્યો છે લુખ્‍ખાઓ ખુલ્લેઆમ  પડકારી રહ્યા છે ત્‍યારે થાનગઢ મઠની શેરીની અંદર રહેતા ચિરાગભાઈ મકવાણા પોતાના ઘરે પોતાની પત્‍ની બ્‍યુટી પાર્લર ચલાવી રહ્યા છે ત્‍યારે પોતાની પત્‍નીની મોબાઇલની અંદર ફોન કરીને પરેશાન કરતો હોવાથી નૈતિક શાહ સૂચના આપી તું મારા પત્‍નીના ફોનમાં ફોન ન કરતા શું કરવા કરો છો ત્‍યાર ચિરાગ મકવાણા ને ફોન કરીને બેફામ ગાળો દીધી અને કીધું ત્‍યારે તારી પત્‍નીના ફોનમાં હું ફોન કરીશ જ તારે થાય એ કરી લે ત્‍યારે રૂબરૂ સમજાવા જતા ચાર વ્‍યક્‍તિએ મેન બજાર અડધી કલાક ઉપરબંધ કરીને  આરોપીના પિતા પંકજ શાહ એનો દીકરો નૈતિક્‍શા રવિ બાંભણિયા નીરવ મકવાણા માથા ઉપર  હથિયાર વડે અત્‍યારે હુમલો કરવામાં આવ્‍યો છે.ત્‍યારે હથિયાર બંધી અંગે ના જાહેરનામા સામે પણ સવાલ ઉભા થઇ રહા છે.

(11:48 am IST)