સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

ભવનાથ ખાતેના રવિ રાંદલ માતાજીના મંદિર આશ્રમમાં રાત્રે પથ્થરમારો : અજાણ્યા શખ્સોના કારસ્તાનથી રોષ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૩ : જૂનાગઢના ભવનાથમાં આવેલ રવિ રાંદલ માતાજીના મંદિર આશ્રમ પર રાત્રે અજાણ્યા શખ્સોએ કચરો ફેંકી અને પથ્થરમારો કરતા રોષ ફાટી નિકળ્યો છે.

ભવનાથ તળેટીમાં પોલીસ ચોકી સામે આવેલ રવિ રાંદલ માતાજીના આશ્રમ મંદિર ઉપર રાત્રીના અસામાજીક તત્વોએ કચરો ફેંકીને ધાર્મિક લોકોની લાગણી દુભાવી હોવાની અને પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

અસામાજીક તત્વોની આ હરકતથી ભાવિકોમાં રોષ ફાટી નિકળ્યો છે અને ઉમેશભાઈ વેગડા સહિત સેવકોએ ધરણા શરૂ કરી અસામાજીક તત્વો સામે કડક પગલા લેવાની માંગણી કરી છે અને જો તાત્કાલીક ઘટતુ કરવામાં નહીં આવે તો આત્મવિલોપણ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

(2:16 pm IST)