મોરબીમાં ખુરશીમાં બેઠેલા વૃધ્ધનું હૃદયરોગથી અને પહેલા માળેથી પડતા આધેડનું મોત
(પપ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૩ : મોરબીના જુના રફાળેસ્વર ગામ નજીક મીલેનીયમ સિરામિકમાં સિકયુરીટી તરીકે નોકરી કરતા અને નવલખી રોડ પર લાયન્સનગરમાં રહેતા નટુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ (ઉ.૭૨) નું કારખાનામાં કોઈ કારણોસર મળત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ અજીતસિંહ પરમાર ચલાવી રહ્યા છે તો તપાસ અધિકારી અજીતસિંહ પરમાર સાથે વાત ચિત દરમિયાન જણાવ્યું હતું કે મળતક કારખાનામાં બેઠા હોય દરમિયાન હાર્ટ એટેક આવી જતા મળત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમીક તપાસમાં જણાઈ આવ્યું હતું.
મોરબીમાં પહેલા માળેથી પડી જતા આધેડનું મોત
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.૪૫) ગત તા.૨૯-૦૮-૨૦૨૨ ના રોજ રાત્રીના પોતાના ઘરે હોય દરમિયાન કોઈ કારણોસર પહેલા માળેથી પડી જતા તેને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હ્તા જ્યાં રાજકોટ ખાતે સારવાર લઇ રહેલા કરશનભાઈનું ગત તા.૩૦-૦૮ ના રોજ મળત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.