સોમવારે જૂનાગઢમાં પૂ. હરિપ્રસાદ સ્વામી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પ વિસર્જન : હરિધામ મંદિરથી પી.પી. પ્રેમ સ્વામી , પ્રબોધ સ્વામી , પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી (આત્મીય યુનિવર્સિટી રાજકોટ) તથા સંત મંડળ ઉપસ્થિત રહેશે
(વિનુ જૈશી દ્વારા)જુનાગઢ તા.૨૩ આગામી તારીખ 25 ને સોમવારના રોજ બ્રહ્મસ્વરૂપ ગુરુ હરિ પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પ વિસર્જનનો સવારે દસ વાગ્યે નારાયણ ધરો ખાતે સંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખેલ છે.
પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી એ હરિભક્તોને એક સૂત્ર આપ્યું હતું કે હે પ્રભુ કોઈ આત્મીય બને કે ન બને મારે આત્મીય બનવું જ છે તો મને પણ બળ આપશોજી
જૂનાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હરિધામ મંદિર થી પી.પી. પ્રેમ સ્વામી , પ્રબોધ સ્વામી , પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી (આત્મીય યુનિવર્સિટી રાજકોટ) તથા સંત મંડળ ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજ્ય સુયોગ સ્વામીના માર્ગદર્શન હેઠળ શૈલેષભાઈ દવે , મોહનભાઈ પટોળીયા સહિતના હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.